ગુજરાતી ભોજન ની વાતજ કઈક અલગ છે. ખાંડવી, સેવ ટામેટાનુ શાક, ઊંધીયુ અને કેટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ છે. રોટલી, ભાત, દાળ, શાક અને કઢીથી ભરેલી ગુજરાતી થાળી લગભગ દરેક ઘરમાં રોજ પીરસવામાં આવે છે. પરંતુ શુ બ્લડ શુગર વધવાના કારણો[1] માનુ એક કારણ ગુજરાતી થાળી હોય શકે?
ઘણા લોકો માને છે કે ઘરનું બનાવેલું ભોજન હોવાથી તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. હકીકતમાં, સમસ્યા ખોરાકમાં નથી પરંતુ તેના પ્રમાણ અને સંયોજનમાં છે. આ સમસ્યાના નિવારણ માટે માઘવબાગના ચિકત્સક ડૉ. કૃપા છાત્રોડિયા માહિતી આપે છે.
બ્લડ શુગર વધવાના કારણો શું છે?
ગુજરાતી થાળીમાં બટાકા, ભાત, રોટલી, ખાંડ, ગોળ જેવી ગળી વસ્તુઓ નુ પ્રમાણ વધારે હોય છે. આ બધામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે આ બધી વસ્તુઓ એક જ સમયે વધુ માત્રામાં ખાવામાં આવે છે ત્યારે શરીરમાં ગ્લુકોઝ ઝડપથી વધે છે અને બ્લડ શુગર ઊંચું જાય છે.
અને ગુજરાતી થાળી મીઠાઈ વગર અધૂરી છે. તેની સાથે ગુજરાતી ખાંડ વાળી ચા, મીઠાઈઓ પણ બ્લડ શુગર વધવાના કારણો બની શકે છે.
ડાયાબિટીસ માટે ગુજરાતી ડાયટ કેવી હોવી જોઈએ?
ડાયાબિટીસ માટે વિશેષ ગુજરાતી ડાયટની જરૂર નથી. જરૂર છે તો માત્ર યોગ્ય સંતુલનની. થાળીનો અડધો ભાગ લીલા શાકભાજી અને સલાડથી ભરેલો હોય એવો આગ્રહ રાખવો જોઈએ. બાકીના ભાગમાં દાળ, કઠોળ અથવા અન્ય પ્રોટીન સાથે નિયંત્રિત માત્રામાં રોટલી અથવા ભાત લેવો વધુ યોગ્ય માનવામાં આવે છે.
આ રીતે જમવાથી શરીરમાં ગ્લુકોઝ ધીમે ધીમે વધે છે અને લાંબા સમય સુધી ઊર્જા પણ જળવાઈ રહે છે.
ડાયાબિટીસમાં રોટલી કેટલી ખાવી?
આ પ્રશ્ન લગભગ દરેક ડાયાબિટીસના દર્દીને થાય છે. તેનો એકસરખો જવાબ નથી કારણ કે દરેક વ્યક્તિની ઉંમર, વજન, દવાઓ અને શારીરિક પ્રવૃત્તિ અલગ હોય છે. તેમ છતાં સામાન્ય રીતે એક સમયે એકથી બે નાની રોટલી સાથે પૂરતું શાક અને પ્રોટીન લેવાથી સંતુલન જળવાઈ રહી શકે છે.
જો તમે ભાત પણ ખાવા માંગતા હોવ તો રોટલીનું પ્રમાણ થોડું ઓછું કરવું યોગ્ય રહે છે. એટલે કે ડાયાબિટીસમાં રોટલી કેટલી ખાવી તેનો નિર્ણય માત્ર ભૂખ પ્રમાણે નહીં પરંતુ સમગ્ર થાળીના સંતુલન પ્રમાણે કરવો જોઈએ.

ડાયાબિટીસમાં ભાત ખાઈ શકાય?
હા, ચોક્કસ ખાઈ શકાય. ઘણા લોકો ડાયાબિટીસ થયા પછી ભાત સંપૂર્ણપણે બંધ કરી દે છે, પરંતુ તે જરૂરી નથી. મહત્વની વાત એ છે કે ભાતનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ અને તેની સાથે દાળ, શાક અને સલાડ જરૂર લેવાં જોઈએ.
જો શક્ય હોય તો બ્રાઉન રાઇસ અથવા હેન્ડ પાઉન્ડેડ ચોખાનો ઉપયોગ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. એટલે કે ડાયાબિટીસમાં ભાત ખાઈ શકાય, પરંતુ યોગ્ય માત્રા અને યોગ્ય સંયોજન સાથે.
થાળીમાં નાની નાની ભૂલો પણ અસર કરે છે
ઘણી વખત લોકો મીઠાઈ છોડે છે પરંતુ ફરસાણ, પાપડ, બટાકાવાળું શાક અને વધુ રોટલી અથવા ભાત લેતા રહે છે. આવી નાની આદતો પણ ધીમે ધીમે બ્લડ શુગર વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જો તમે જમ્યા પછી થોડું ચાલવાનું શરૂ કરો, પૂરતું પાણી પીવો અને દરરોજ લગભગ એકસરખા સમયે ભોજન લો તો બ્લડ શુગરનું નિયંત્રણ વધુ સારું રહેવાની શક્યતા વધે છે.
માત્ર ડાયટ કરવું પૂરતું નથી
ડાયાબિટીસ માટે ગુજરાતી ડાયટ સાથે નિયમિત વ્યાયામ, સારી ઊંઘ, તણાવનું નિયંત્રણ અને સમયસર બ્લડ શુગરની તપાસ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ડાયાબિટીસનું યોગ્ય સંચાલન જીવનશૈલીના દરેક પાસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે ત્યારે લાંબા ગાળે વધુ સારા પરિણામો મળી શકે છે. આ દૈનિક નિયંત્રણ રાખવા માટે મધવબાગ એમઆઈબી પલ્સ એપ જેવી ટેક્નોલોજી સાથે પંચકર્મ, ડાયટ અને યોગ જેવી તમામ ચિકિત્સા અને નિદાન માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે તમારી નજીકના મધવબાગ ક્લિનિકમાં તપાસ કરો.
બ્લડ શુગર, દૈનિક જીવનશૈલી, ઊંઘ, વ્યાયામ અને તણાવ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત માર્ગદર્શન મેળવવાથી તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે.
માધવબાગ સાથે ડાયાબિટીસ મેનેજમેન્ટ
માધવબાગમાં ડાયાબિટીસના દર્દીઓ માટે વ્યક્તિગત મૂલ્યાંકનના આધારે સારવાર યોજના તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદિક ઉપચાર, જીવનશૈલીમાં ફેરફાર, યોગ્ય આહાર અને આધુનિક નિદાન પદ્ધતિઓના સંયોજન દ્વારા દર્દીઓને બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં માર્ગદર્શન આપવામાં આવે છે. ચિકિત્સાની વધુ માહિતી માટે કૃપા કરીને સંદર્ભ લો.
https://madhavbaug.org/ayurvedic-diabetes-reversal-treatment-program/
જો તમને વારંવાર બ્લડ શુગર વધવાની સમસ્યા રહેતી હોય અથવા તમારા માટે યોગ્ય ડાયાબિટીસ માટે ગુજરાતી ડાયટ વિશે જાણવું હોય, તો નજીકના માધવબાગ ક્લિનિકમાં સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ડાયાબિટીસમાં ભાત ખાઈ શકાય?
હા, પરંતુ નિયંત્રિત પ્રમાણમાં અને શાક તથા પ્રોટીન સાથે ખાવો.
ડાયાબિટીસમાં રોટલી કેટલી ખાવી?
સામાન્ય રીતે એકથી બે નાની રોટલી યોગ્ય માનવામાં આવે છે, પરંતુ વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે ફેરફાર થઈ શકે છે.
બ્લડ શુગર વધવાના કારણો શું છે?
વધુ કાર્બોહાઇડ્રેટ, મીઠાઈ, ઓછી કસરત, તણાવ અને અનિયમિત જીવનશૈલી મુખ્ય કારણો બની શકે છે.
ડાયાબિટીસ માટે ગુજરાતી ડાયટમાં શું સામેલ કરવું જોઈએ?
લીલા શાકભાજી, દાળ, કઠોળ, સલાડ, દહીં અને નિયંત્રિત પ્રમાણમાં રોટલી અથવા ભાત.
ઉલ્લેખ
- Sharma, R. and Prajapati, P.K., 2014. Diet and lifestyle guidelines for diabetes: Evidence based ayurvedic perspective. Romanian Journal of Diabetes Nutrition and Metabolic Diseases, 21(4), pp.335-346.
- Hu, E.A., Pan, A., Malik, V. and Sun, Q., 2012. White rice consumption and risk of type 2 diabetes: meta-analysis and systematic review. Bmj, 344.
- Ahmed, F. and Urooj, A., 2015. In vitro hypoglycemic effects and starch digestibility characteristics of wheat based composite functional flour for diabetics. Journal of food science and technology, 52(7), pp.4530-4536.






